ભાભર બ્રાહ્મ સમાજના આગેવાનો દ્વારા ભાભર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ભાભર

ભાભર મામલતદાર કચેરી ખાતે બ્રાહ્મ સમાજના લોકો દ્વારા રાજસ્થાન ના કારોલી ખાતે થયેલ એક વૈષ્ણવ સમાજ ના વ્યક્તિ ની નિર્મમ હત્યા ના પગલે બ્રાહ્મણ સમાજ માં ઘેરો પ્રત્યાઘાત પડતાં આજે ભાભર ખાતે પણ બ્રાહ્મ સમાજના આગેવાનો દ્વારા ભાભર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ હત્યા ના બનાવ ને સખત શબ્દોમાં વખોડી ને આવતા દિવસો દરમિયાન જો કડક પગલાં લેવા માં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમક આપી હતી. જેમાં બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ કાંતિભાઇ જોશી, મણીલાલ જોશી, લાભેશ દવે તથા તમામ નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment